વડોદરા શહેરના વોર્ડ નં. ૧૩ના ઝૂપડાવાસી પરિવારો દ્વારા વોર્ડ કાઉન્સિલર જાગૃતિબેન કાકા વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. કાશી વિશ્વનાથ મહાદેવ મંદીર પાસે વસવાટ કરતા માળી સમાજના ૮ ગરીબ પરિવારોના મકાનો અંગે બિલ્ડરો દ્વારા દબાણ અને તોફાની રીતે સામાન જપ્ત કરાવવાનો આરોપ મૂકાયો છે.
આ અંગે વસ્તીઓએ જણાવ્યું કે, વારંવાર મહાનગર પાલિકા, ટાઉન પ્લાનિંગ અને કલેકટર કચેરીમાં રજૂઆત છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે ટાઉન પ્લાનિંગ વિભાગે બિલ્ડરને મંજૂરી માટે સ્પષ્ટ રીતે શરત મૂકવા છતાં રાજકીય દબાણ હેઠળ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
મ્યુનિ. સભા તા. ૧૭ એપ્રિલે મુલતવી રાખવામાં આવી હતી અને તેની પાછળના હકીકતો અંગે પણ સ્પષ્ટતા જરૂરી છે.
ઝૂપડાવાસીઓએ કાઉન્સિલર પર લેન્ડ ગ્રેબિંગના કેસની ધમકી આપવા અને દબાણ શાખાનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો છે. પોલીસ દળે પોતાનું કાર્ય વફાદારીપૂર્વક કર્યું હોવા છતાં રાજકીય દબાણના કારણે અન્યાય થતો જણાઈ રહ્યો છે.
આ અંગે વડોદરા મહાનગર પાલિકા અને સ્ટેન્ડિંગ કમિટી પાસે સ્પષ્ટ અને જવાબદાર નિવેદન આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

