વડોદરા: ગોત્રી વિસ્તારના પૌરાણિક ક્ષત્રિય ભાથીજી મંદિરે આજે એક મોટી દુર્ઘટના ટાળી. વર્ષો જૂનું એક વિશાળ વડનું ઝાડ મંદિરના ઉપરના ભાગ પર પડી નુકસાન પહોંચાડી ગયું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
મંદિરમાં ભક્તોની આવકજાવક સામાન્ય હોય છે, અને આજે જેએ સમયે ઝાડ પડી ત્યારે કોઈ ભક્ત હાજર ન હતો, જેના કારણે મોટી અકસ્માત ટળી.
સ્થાનિકો ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 9 ના યુવા કોર્પોરેટર શ્રીરંગ (રાજેશ) આયરેની મદદ માટે સંપર્ક કર્યો. રાજેશ આયરે તરત જ સ્થળ પર દોડી ગયા અને વડોદરા કોર્પોરેશન તેમજ વડીવાડી ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયર બ્રિગેડની ટીમ ક્રેન અને આધુનિક સાધનો સાથે આવી પહોંચીને કલાકોની મહેનત બાદ ઝાડને કાપીને દૂર કર્યું.
શ્રીરંગ (રાજેશ) આયરેે જણાવ્યું: “સ્થાનિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. ઘટનાની જાણ થતા જ ફાયર ટીમ અને કોર્પોરેશનની મશીનરી કામે લગાડી દેવાઈ, જેથી રસ્તો ખુલ્લો થાય અને મંદિરને વધુ નુકસાન થતું અટકાવી શકાય.”
હાલમાં મંદિરની મરામત શરૂ કરવામાં આવી છે અને આસપાસના વિસ્તારને સલામત બનાવવામાં આવી રહ્યો છે.

