30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નવાપુરા વિસ્તારમાં જૂનું મકાન ધરાશાયી થતા ત્રણ લોકો દબાયા વિસ્તાર માં અફડા તફડી મચી જવા પામી

પાલિકા તંત્ર દ્વારા મકાનોને નિર્ભયતાની નોટીસ પાઠવવામાં આવે તેમ છતાં વડોદરા શહેરમાં છેલ્લા ઘરના સમયથી અનેક વિસ્તારોમાં મકાનો ધરાશે નહિ ઘટનાઓ બનવા પામી છે ત્યારે શું તંત્ર માત્ર કાગળ પર જ નિર્ભાની કામગીરી દેખાઈ રહ્યું છે તેમ લાગી રહ્યું છે
વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી જુના જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. દેવામાં આજરોજ મોડી સાંજે શહેરના નવાપુરા વિસ્તારનાં ખાટકીવાડ માં એક જૂનું મકાન ધરાશાયી થતાં ત્રણ લોકો દબાયા હોવાની માહિતી સામે આવી હતી. ઘટનાને લીધે સ્થળ પર લોક ટોળા એકત્ર થઈ ગયા હતા. બનાવની જાણ થતા જ વડોદરા ફાયર વિભાગ ની ટીમ, એસીપી અશોક રાઠવા અને નવાપુરા પોલીસ નિરીક્ષક સહિત નો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને તૂટી પડેલ મકાન નીચે ફસાયેલ ત્રણે વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ કાટમાળ નીચે દબાઈ ગયા હોવાથી તેઓ ઈજાગ્રસ્ત થયા હતા અને તેઓને સારવાર હેતુ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ફસાયેલ વ્યક્તિઓને બચાવવા માટે સ્થાનિક લોકો પણ મદદરૂપ થયા હતા. ફસાયેલ વ્યક્તિઓમાં એક 24 વર્ષની યુવતી હતી અને 16 અને 12 વર્ષના તેના બે ભાઈઓ હતા.

Related posts

વડોદરા મહાનગરપાલિકાના રોજમદારી સફાઈ સેવક ગળે ફાસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી

admin

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ

admin

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે સેવાભાવી ડોક્ટરનું સન્માન

admin

Leave a Comment