નસવાડી મામલતદાર ને આવેદનપત્ર આપતા જયઆદિવાસી મહાસંઘ અને સમસ્ત આદિવાસી મહાસંઘ ભુ માફિયા સામે કાયદેસર ની કાર્યવાહી કરવા માંગ
નસવાડી તાલુકા જય આદિવાસી મહાસંઘ અને સમસ્ત આદિવાસી મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપી આક્ષેપ કરવામાં આવ્યો છે આદિવાસી સમાજ નો દીકરો જ્યારે ખોટું થાય છે તેને ઉજાગર કરે છે અને આદિવાસી ની આવાઝ બને છે જેમાં ભૂમાફિયા આદિવાસી વિરૂધ ષડયંત્ર કરીને ખોટી રીતે ફસાવીને પરેશાન કરે છે. અને ખોટી ફરિયાદ કરી આદિવાસી યુવાન ને ફસાવે છે.છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી, સંખેડા અને કવાંટ તાલુકા માં બિન અધિકૃત રીતે માટી ખનન કરતા ભુ માફિયા જે સરકાર ની તિજોરી ને નુકશાન કરે છે,રોયલ્ટી વગર ખનીજ ની મોટા પાયે હેરાફેરી કરે છે. અગાવ આવી ગુનાહિત પ્રવુતિ માં સંડોવાયેલ છે અને આદીવાસી વિસ્તારમાં રહીને પ્રકૃતિને બિન કાયદેસર રીતે મોટા પાયે નુકશાન કરતા અને આદિવાસીઓ વિરૂદ્ધ ની માનસિકતા ધરાવતા ભૂમાફિયા સામે કાયદાકીય રીતે કાયદેસર ની કાર્યવાહી કરી તેમના વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવા અને સજા કરવા ની માંગ સાથે સૂત્રો ચાર કરી નસવાડી મામલતદાર ને આવેદનપત્ર આપ્યું

