40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

આદિવાસી યુવાન ને ધમકી આપી તેના પર ખોટી FIR કરાતા આદિવાસી સમાજ માં રોષ.

નસવાડી મામલતદાર ને આવેદનપત્ર આપતા જયઆદિવાસી મહાસંઘ અને સમસ્ત આદિવાસી મહાસંઘ ભુ માફિયા સામે કાયદેસર ની કાર્યવાહી કરવા માંગ

નસવાડી તાલુકા જય આદિવાસી મહાસંઘ અને સમસ્ત આદિવાસી મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપી આક્ષેપ કરવામાં આવ્યો છે આદિવાસી સમાજ નો દીકરો જ્યારે ખોટું થાય છે તેને ઉજાગર કરે છે અને આદિવાસી ની આવાઝ બને છે જેમાં ભૂમાફિયા આદિવાસી વિરૂધ ષડયંત્ર કરીને ખોટી રીતે ફસાવીને પરેશાન કરે છે. અને ખોટી ફરિયાદ કરી આદિવાસી યુવાન ને ફસાવે છે.છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી, સંખેડા અને કવાંટ તાલુકા માં બિન અધિકૃત રીતે માટી ખનન કરતા ભુ માફિયા જે સરકાર ની તિજોરી ને નુકશાન કરે છે,રોયલ્ટી વગર ખનીજ ની મોટા પાયે હેરાફેરી કરે છે. અગાવ આવી ગુનાહિત પ્રવુતિ માં સંડોવાયેલ છે અને આદીવાસી વિસ્તારમાં રહીને પ્રકૃતિને બિન કાયદેસર રીતે મોટા પાયે નુકશાન કરતા અને આદિવાસીઓ વિરૂદ્ધ ની માનસિકતા ધરાવતા ભૂમાફિયા સામે કાયદાકીય રીતે કાયદેસર ની કાર્યવાહી કરી તેમના વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવા અને સજા કરવા ની માંગ સાથે સૂત્રો ચાર કરી નસવાડી મામલતદાર ને આવેદનપત્ર આપ્યું

Related posts

છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગની ટીમે કેવડી ગામ પાસે સાદી રેતી ખનીજનું બિન અધિકૃત વહન કરતા ત્રણ જેટલા ટ્રેક્ટરોને ઝડપી પાડ્યા હતા.

admin

છોટાઉદેપુરના એકલબારા ગામ નજીકના ખુલ્લા ખેતરમાં 800થી વધુ સાઇકલ પડી હોવાની જાણકારી મળતા ચૈતર વસાવા અચાનક પહોંચ્યા

admin

“બેટી બચાવો બેટી પઢાવો યોજના” અંતર્ગત કવાંટ ખાતે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાની ઉપસ્થિતિમાં કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment