છોટાઉદેપુર જિલ્લામાં વધુ એક બ્રિજને નુકશાન થવા પામ્યું છે, છોટાઉદેપુર નજીક આવેલ ઓરસંગ નદી પરના બ્રિજ ઉપર ભૂવો પડ્યો હતો. નેશનલ હાઇવે ૫૬ ઉપર સ્થિત આ બ્રિજ છે. છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાને જાણ થતાં સાંસદ જશુભાઈ રાઠવા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને બ્રિજ પર પહોચી જવાબદાર વિભાગોને સૂચિત કર્યા હતા. ગઈકાલે જ પાવીજેતપુરના સિહોદ ગામે ભારજ નદી ઉપરનો બ્રિજ તૂટી જતાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે. હવે છોટાઉદેપુર નજીકના બ્રિજને નુકશાનથી લોકો ભયભીત થયા છે.

