ગુજરાતના શ્રધાળુઓ માટે કુંભ મેળામાં આવવા જવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્રારા ચાલુ કરવામાં આવશે.આ પેકેજ ચાર દિવસ અને ત્રણ રાત્રી માટે બનાવવામાં આવ્યું છે.તારીખ ૨૭મી જન્યુવારીએ વહેલી સવારથી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ યાત્રાળુઓની પહેલી બસને લીલી ઝંડી ગાંધીનગર ખાતેથી આપશે.
હિંદુ સનાતન ધર્મમાં મહા કુંભનું એક વિશેષ મહત્વ છે. એકરાત્રી રોકાણ શિવપુરી ખાતે રાખવામાં આવ્યું છે. ત્યાં હોટલમાં યાત્રાળુઓને રોકાવવાની વ્યવસ્થા આ જ પેકેજમાં કરેલી છે.માત્ર ૮૧૦૦ રૂપિયામાં ચાર દિવસ અને ત્રણ રાત્રીની યાત્રાનું આયોજન સરકાર દ્રારા કરવામાં આવી છે.

