વડોદરા એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડોદરા હવે આમ આદમી પાર્ટી માટે મહત્વપૂર્ણ શક્તિ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. બંને દિગ્ગજ નેતાઓની મુલાકાતને લઈને સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
માહિતી મુજબ, બંને નેતાઓ વડોદરા શહેરમાં એક ખાનગી હોટલમાં ટૂંકું રાત્રિ રોકાણ કરશે. આ દરમિયાન પ્રથમ યાદીમાં જાહેર થયેલા ઉમેદવારો સાથે ખાસ બેઠક યોજાઈ શકે છે, જેમાં આવનારી ચૂંટણી માટેની રણનીતિ પર ચર્ચા થવાની શક્યતા છે.
આગામી કાર્યક્રમ અનુસાર, બંને નેતાઓ બીજા દિવસે સવારે લીમખેડા માટે રવાના થશે, જ્યાં તેઓ જંગી જાહેર સભાને સંબોધશે.

