વડોદરામાં આપેલ નિવેદનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ભાજપના પાંચ ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને લખાયેલા પત્રના મુદ્દે સરકાર પર કટાક્ષ કર્યો હતો.
કેજરીવાલે કહ્યું કે—
“ધારાસભ્યો પોતે જ મુખ્યમંત્રીને પત્ર લખીને સમસ્યાઓ જણાવી રહ્યા છે, પણ મુખ્યમંત્રીની પણ કોઈ સાંભળણી નથી. આ સરકારમાં તો અધિકારીઓ પણ જન પ્રતિનિધિઓની વાત સાંભળતા નથી.”
તેમણે આગળ સરકારને આડે હાથ લેતાં જણાવ્યું કે—
“જો ધારાસભ્યોની જ સાંભળણી ન હોય, તો આવા ધારાસભ્યોને હવે લોકો દ્વારા મત અપાવવો જોઈએ નહીં.”
કેજરીવાલે દાવો કર્યો કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો “જિલ્લાથી લઈને ગામ સુધીના તમામ કામ સમયસર અને પારદર્શક રીતે થશે.”
કેજરીવાલે ગુજરાતની જનતા તરફ સંદેશ આપતાં અંતમાં કહ્યું—
“ગુજરાતને હવે બદલાવ જોઈએ.”

