પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનથી “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના ભાટપુરથી તિરંગા યાત્રા નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ પણ જોડાયા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ સાથે ખૂબ મોટી સંખ્યામાં આસપાસના ગામોના લોકો આગેવાનો મહિલાઓ અને વિઘાર્થીઓ તિરંગા યાત્રા જોડાયા હતા.

