છોટાઉદેપુર જિલ્લો એ 90% આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. જેમાં જિલ્લાના 6 તાલુકાઓમાં હોળી પર્વ ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. આદિવાસી વિસ્તારમાં દિવાળી કરતા પણ હોળીનું વધુ મહત્વ હોય જેથી ઉમંગ ઉત્સાહ અને શ્રદ્ધાથી વિધિવત રીતે હોળીનો તહેવાર ઉજવવામાં આવતો હોય છે. જેને ઉજવવા હોળીના તહેવારો આજથી શરૂ થઈ રહ્યા છે. ત્યારે પર પ્રાંતમાં પર રાજ્યમાં મજૂરી અર્થે તથા ધંધો રોજગાર કરવા ગયેલા આદિવાસીઓ માદરે વતન પરત ફરી રહ્યા છે. બસો તથા ટ્રાવેલ્સ માં મોટી સંખ્યામાં આદિવાસીઓ માદરે વતન પરત ફરી રહ્યા છે.
મોહસીન સુરતી છોટાઉદેપુર

