વિશાળ નગર દત્ત મંદિર પાસે વરસતા વરસાદમાં પાલિકાના દક્ષિણ ઝોન ના અધિકારીઓ દ્વારા ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
વિશાળ નગર દત્ત મંદિર થી હરિનગર જવાના રસ્તે ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી પરંતુ ત્યાર બાદ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી નહતી.
વિસ્તારના નાગરિકો અને વાહનચાલકોને ઉબડખાબડ ખોદેલા રસ્તા પર થી પસાર થવું પડે છે.
પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી નથી.
આજ રોજ વરસતા વરસાદમાં કાઉન્સિલર ની સૂચના થી પ્રજા ના રૂપિયા ખર્ચીને ફકત માનીતા લોકોને ખુશ કરવા માટે દત્ત મંદિર થી કલ્લું ના ચોક પાસે ડામર પાથરવાની કામગીરી દક્ષિણ ઝોન ના ઇજનેર શાખા દ્વારા કરવામાં આવી છે..
પ્રજાના રૂપિયાનો ખોટો વેડફાટ કરવાને બદલે કાઉન્સિલર દ્વારા પોતાની ગ્રાન્ટ માંથી માનીતા લોકોના કામ કરવામાં આવે અથવા નાગરિકોની સમસ્યા દૂર કરવા માટે કામગીરી કરવામાં આવે તે કાઉન્સિલર માટે જરૂરી છે તેનો જવાબ કાઉન્સિલર આપે …

