માનનીય ડીજીપી સાહેબ અને પોલીસ કમિશનર સાહેબની સુચનાનુસાર, માંજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશનો ખાતે પડ્યા રહેલા બીન વારસી વાહનોના નિકાલ માટે હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે આયોજિત હરાજીમાં કુલ 25 વાહનોની હરાજી કરવામાં આવી હતી. જેમાં મકરપુરા પોલીસ સ્ટેશનના 17 વાહનોની બેઝ પ્રાઇઝ રૂ. 93,200 હતી, જેની હરાજી કિંમત રૂ. 1,46,000 સુધી પહોંચી હતી. બીજી તરફ, માંજલપુર પોલીસ સ્ટેશનના 8 વાહનોની બેઝ પ્રાઇઝ રૂ. 30,500 હતી, જેને રૂ. 46,000ની હરાજી કિંમત મળી.
હરાજી પ્રક્રિયા બાબતે એસીપી શ્રી પ્રણવ કટારીયાએ વિગતવાર માહિતી આપી હતી.
આ હરાજીથી બંને પોલીસ સ્ટેશનોમાં જૂના અને વારસદારો વિહોણા વાહનોનો યોગ્ય નિકાલ થયો છે અને સરકારને આવક પ્રાપ્ત થઈ છે.

