વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં RRR વાન દ્વારા વેસ્ટ વિભાગ ધન કચરો ઘટાડવા રિયુઝ, રીડ્યુસ અને રિસાયકલનો અભિગમ અપનાવી એનજીઓ અને સામાજિક સંસ્થાઓ મારફતે જીવન જરૂરિયાત વસ્તુઓ જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે કલેક્શન કરવામાં આવી રહ્યું છે. વાન મારફતે નાગરિકો પાસેથી પુસ્તક, કપડાં, પગરખાં સહિતની ચીજ-વસ્તુઓ એકત્ર કરી જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં 04 નંગ RRR વાનનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું

