જમીનોના ઝોનફેરમાં ધારાસભ્ય કેયુર રોકડીયાનું નામ ઉછળતા તેમણે પ્રતિક્રિયા આપી છે કે, ફરી એકવાર કોંગ્રેસની માનસિકતા છતી થઇ છે. સંદીપ પટેલનો બંગલો ઝોનફેર વગરની જમીન પર છે તેવો આક્ષેપ સભામાં થયો છે. સંદીપ પટેલે મારી ઉપર આક્ષેપ કર્યો છે કે, સમા ગામની સર્વે નંબર 650 વાળી પ્રતિબંધિત ઝોન વાળી જમીનનો હુએ ઝોન ફેર કર્યો છે. ખરેખર તે જમીનનો ઝોનફેર 2017 દરમ્યાન અને હુએ પ્લૉટેડ જગ્યા નગીનભાઈ વાઘેલાના પત્ની પાસેથી ઝોનફેર થયા બાદ 2019 દરમ્યાન ખરીદી અને વર્ષ 2021 માં વેચી દીધી. ઝોનફેર સમયે હું જગ્યાનો મલિક ન હતો. ખોટો આક્ષેપ કરવો કોંગ્રેસનું ચરિત્ર બની ગયું છે. લાજવાના બદલે ગાજતા લોકો છે.
previous post
next post

