પાદરા તાલુકાના કુરાલ ગામે સ્થિત જોધલપીર મંદિરના પ્રાંગણે સંત શ્રી શિરોમણી રોહિદાસ જીની ૬૪૯મી જન્મજયંતી નિમિતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન તથા વડોદરા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ રોહિત ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વડોદરા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી તથા જોધલપીર સેવા મંડળ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ચિરાગભાઈ ચાવડા, કોષાધ્યક્ષ શ્રી શાંતિલાલ ડાભી, ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ પરમાર સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સંત રોહિદાસ જીના વિચારો અને સમાજપ્રત્યેના યોગદાનને યાદ કરવામાં આવ્યા હતા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

