સાવલી–પોઈચા માર્ગ પર આવેલા મહીસાગર નદીના બ્રિજ પરથી એક વ્યક્તિ અચાનક નદીમાં પડતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાને નજરે જોતા આસપાસના લોકોમાં અફરાતફરી ફેલાઈ હતી.
નદીમાં પડનાર વ્યક્તિની ઓળખ જગદીશભાઈ પાટણવાડિયા તરીકે થઈ છે. તેઓ મહોડીયાપુરા વિસ્તારના રહેવાસી અને ઉંમર અંદાજે ૨૭ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. જોકે નદીમાં પડવાનું કારણ હજુ સુધી અકબંધ છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સંબંધિત તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું. સાથે જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચીને નદીમાં શોધખોળ અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ બનાવને લઈને વિસ્તારમાં લોકોના ટોળાં એકત્ર થયા હતા, જ્યારે અધિકારીઓ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

