37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

તળાવો ફરતે ચાલવા ચાર્જ વસૂલવાની ચર્ચા સામે વિરોધ, ચંદ્રકાંત શ્રીવાસ્તવે વ્યક્ત કરી કડક પ્રતિક્રિયા

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા તળાવો ફરતે ચાલવા આવતાં નાગરિકો પાસેથી ચાર્જ વસૂલવાની યોજના અંગે ચર્ચા શરૂ થતા રાજકીય માહોલ ગરમાયો છે. આ મુદ્દે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પોતાની પ્રતિક્રિયા આપીને કડક વિરોધ નોંધાવ્યો હતો.

આગામી દિવસોમાં પાલિકા પોતાનું બજેટ રજૂ કરવાની તૈયારીમાં છે ત્યારે આવકના સ્ત્રોત ઊભા કરવા તળાવોની આસપાસ ફરવા આવતાં નાગરિકો પાસેથી પાંચથી દસ રૂપિયા જેટલો ચાર્જ વસૂલવાની વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે નાગરિકોને આપેલા તળાવો પર ચાર્જ લેવાનો અધિકાર કોને આપ્યો છે?

તેમણે આક્ષેપ કર્યો હતો કે પાલિકા પૂરતી સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે અને હવે ચાર્જ વસૂલવાની વાતો થઈ રહી છે. તેમના મતે આ નિર્ણય ચૂંટણી પહેલાંનો સ્ટંટ હોઈ શકે છે. “પહેલા આવી વાતો કરાશે અને પછી વિરોધ થતાં તેને પાછું ખેંચવામાં આવશે જેથી ચૂંટણી પહેલા નાગરિકોની સહાનુભૂતિ મેળવી શકાય,” તેમ તેમણે કહ્યું હતું.

તળાવોના બ્યુટીફિકેશનના નામે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો વચ્ચે આવા પ્રકારના ચાર્જ વસૂલવા યોગ્ય નથી એમ પણ વિરોધ પક્ષના નેતાએ ઉમેર્યું હતું.

Related posts

વડોદરા કોર્પોરેશનની બજેટ બેઠકમાં હોબાળો, કોંગ્રેસના સાત સભ્યો સસ્પેન્ડ બાદ બજેટ બહુમતીથી મંજૂર

admin

ન્યૂઝીલેન્ડના વર્ક વિઝા આપવાના નામે સુરત-ઊંઝાના 3 યુવક સાથે 15 લાખની છેતરપીંડીના ગુનામાં 4 મહિનાથી વોન્ટેડ આરોપીની ધરપકડ

admin

વડોદરા મહાનગરપાલિકાના રોજમદારી સફાઈ સેવક ગળે ફાસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી

admin

Leave a Comment