છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર અને કવાટ તાલુકામાં આવેલ આશ્રમ શાળાઓની છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા એ અચાનક મુલાકાત લીધી હતી. કલેકટર અનિલ ધામેલીયા એ છોટાઉદેપુર અને કવાંટ તાલુકામાં આવેલ આશ્રમ શાળાઓની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને અપાતી સુવિઘાઓ, ભોજન માટે વપરાતા અનાજની ગુણવત્તા તેમજ બાળકો સાથે સંવાદ કરી શિક્ષણની ચકાસણી ખુદ કલેકટર દ્વારા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા અચાનક છોટાઉદેપુર અને કવાંટ તાલુકામાં આવેલ આશ્રમ શાળાઓની મુલાકાતે પહોંચ્યા હતા. કલેકટર અનિલ ધામેલીયા જેવો શિક્ષણ ઉપર સતત નજર રાખી રહ્યા છે. અને અચાનક પ્રાથમિક શાળા હોય કે આશ્રમ શાળાઓની મુલાકાત લેતા હોય છે. જ્યારે કલેકટરે અચાનક બન્ને તાલુકાઓમાં આવેલ આશ્રમ શાળાઓની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. સાથે કલેકટર અનિલ ધામેલીયાએ આશ્રમ શાળાઓની મુલાકાત લઈને અઘિકારીઓને સૂચનો પણ કર્યા હતા.

