Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજની ચિંતન શિબિર છોટાઉદેપુર નગરમાં આવેલ તાલુકા શાળા નંબર એક ખાતે યોજાઈ

છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજની ચિંતન શિબિર છોટાઉદેપુર નગરમાં યોજાઈ હતી. આદિવાસી સમાજ દ્વારા આ ચિંતન શિબિર યોજવાનું આયોજન કર્યું હતું. જેમાં પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા,બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા,સામાજિક આગેવાન માધુભાઈ રાઠવા,દિનેશભાઈ રાઠવા,ગુમાનભાઈ રાઠવા સહિત આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ચિંતન શિબિરમાં છોટાઉદેપુર તાલુકામાં શિક્ષણની ગુણવતાની સુધારણા માટે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી હતી. તેમજ છોટાઉદેપુર તાલુકામાં સામાજિક દુષણો દુર કરવા માટે વિવિધ મુદ્દાઓની ચર્ચા અને આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર તાલુકામાં આદિવાસી સમાજની મંડળ રચના માટે આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂ સપ્લાયનો પ્રયાસ નિષ્ફળ જેતપુર પાવી પોલીસે એમ્બ્યુલન્સમાંથી ₹5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

admin

નસવાડી ખાતે કોંગ્રેસ દ્વારા ગૃહ પ્રધાનનું રાજીનામુ આપોની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું

admin

સરકારનો ગામડે ગામડે વિકાસનો થયો હોવાનો દાવો પરંતુ અંતરયાડ વિસ્તારોમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાની સુવિધા થી વંચીત

admin

Leave a Comment