વાંસોજ માં ખનિજ માફીયાઓ બેફામ ડમ્પર ચલાવી માટી બારોબાર વેચી રહ્યા છે
ઉના તાલુકામાં કલેકટર દિગ્વિજય સિંહ હતા ત્યારે ખનિજ માફીયાઓ જાણે દર માં સૂપાય ગયા હતા તેવું લાગી રહ્યું હતું પણ જ્યારથી જાડેજા સાહેબ ની બદલી થય ગય ત્યારથી ધીમે ધીમે આ દરમાં સૂપાયેલા ખનિજ માફીયાઓ બાર નીકળી રહ્યા હોય તેમ ગૌચરણ, સરકારી ખરાબો, શાર અંકુશ જેવી અનેક જગ્યાઓ માંથી બેફામ રીતે J.C.B તેમજ ઓવરલોડ ડમ્પરો માટી ના ભરી ગામની વચ્ચે થી બેફામ રીતે ચલાવી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ માં વેચી રહ્યા છે
આ વાત છે વાંસોજ ગામની જ્યાં અનેક વખત માટી ચોરી ચર્ચામાં આવેલી છે પણ ખનિજ માફીયાઓ અને અધિકારીઓ ની સાઠગાઠ થી ઘી પડે તો પણ ઘીના ઠામમાં જ
વાંસોજ ગામે સુજલામ સુફલામ યોજના હેઠળ વાંસોજ ખારો કહેવતો વિસ્તાર જ્યાં થી ખેડૂતો માટી લઈ પોતાના ખેતરમાં નાખતા હતા આનો ગેર લાભ લઈ ખનિજ માફીયાઓ પોતાના ખેતર માં માટી એકઠી કરી અને રાત્રે J.C.B અને ડમ્પર વડે દીવ માં સપ્લાય કરતા હતા તેમ સ્તા હાલમાં તેઓ એ ખારા વિસ્તારમાં J.C.B રાખી ડમ્પરો વડે માટી ખોદી ખોદી ને લઈ રહ્યા છે તો અમને પરમિશન કોણે આપી તે પણ એક સવાલ શે ? શું શાર અંકુશ વે પરમિશન આપી તો સા માટે આપી કેમ કે ખેડૂતો ને પરમિશન નથી આપતા તો આ ખનિજ માફીયાઓ ને કેવી રીતે પરમિશન મળી હશે
વધુમાં આ માટી ને ખનિજ માફીયાઓ પોતાના ખેતરે ડમ્પરો વડે એકઠી કરે છે અને ગેરકાયદે માટી એકઠી કરતા હોય અને કેન્દ્રશાસિત દીવમાં રૂપિયા ૧૦.૦૦૦/- માં વેચતા હોય છે જેમાં રોજ ના બે ડમ્પર ચાલે છે અને રોજ ના લગભગ એક ડમ્પર ૫- ફેરા એટલે બને ડમ્પર ના ૧૦- ફેરા થાય એટલે કે એક દિવસ ની રૂપિયા ૧.૦૦૦૦૦/- એક લાખ ની આવક મેળવી રહ્યા છે તો શું ખનિજ અધિકારીઓ ની નજરે આવતું નથી કે શું અને આ રૂપિયામાં ખનિજ અધિકારીઓ નો પણ ભાગ શે કે શું ? જ્યારે કલેકટર દિગ્વિજય સિંહ હતા ત્યારે તો આ ખનિજ માફીયાઓ દર માં શુપાય ગયા હતા તો હવે શું થયું ખનિજ માફીયાઓ નો ડર નાબૂદ થય ગયો

