કલેકટરે પાણી માં ઉતરી આખો વિસ્તાર ખુંદયો…
દબાણ હટાવવા નો વિરોધ કરનારા લોકો ને કલેકટર નામ લીધા વિના જ આપ્યો જડબાતોડ જવાબ
ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા તેના કામ અને જડબાતોડ ભાષામાં જવાબ આપવાના અંદાજ ને લય ચર્ચામાં આવ્યા છે ત્યારે ગીર સોમનાથ ના વડા મથક વેરાવળ શહેર ને પાંચ દિવસ થી વરસાદ ઘમરોળી રહ્યો છે અને વેરાવળ ના અનેક વિસ્તારો માં પાણી ભરાયાં છે ત્યારે જિલ્લા ક્લેક્ટર આજે ખુદ આં વિસ્તારો ની મુલાકાતે પહોંચ્યા નવાય ની વાત એ છે કે કલેકટર પોતાની કાર છોડી રેહનાકિય વિસ્તારો માં જ્યા પાણી ભરેલા હતા ત્યાં પહોચ્યા એટલુજ નહિ ગોઠણ સમાં પાણી માંકલેક્ટર ચાલી ને પૂરો વિસ્તાર નો અભાયસ કર્યો
કલેકટર નગર પાલીકા ના ચીફ ઓફિસર ને તતડાવી નાખ્યા તેમનું કેહવુ છે કે પાણી ભરવાની સમસ્યા નું સમાધાન કરવું એ નગર પાલિકા ની જવાબદારી છે જેના કારણે પાલિકા ના ચીફ ઓફિસર ને આડે હાથ લીધા.લોકો ને આશ્વાશન આપ્યું કે તત્કાળ તેમના વિસ્તારો ની સમસ્યા નું સમાધાન કરવામ.આવશે.
ગીર કલેકટર ડી ડી જાડેજા એ વેરાવળ શહેર ના પ્રભાવિત વિસ્તારો ની મુલાકાત સમયે વિરોધીઓ ને નામ લીધા વિના જડબા તોડ જવાબ આપ્યો હોય તેવી ચર્ચાઓ થય રહી છે
દબાણો નાં કારને વેરાવળ માં પની ભરવાની સમસ્યા વધી છે જે દવાનો દૂર કરવા પણ કલેકટર દ્વારા લોકો ને જણાવાયું સાથેજ તેમને કહ્યું કે અમુક લોકો ખોટા આરોપો લગાવી રહયા છે અમે કોઈ ના ઘર નથી પાડ્યા છતાં કહી રહ્યા છે અમે નડતર દૂર કરી રહ્યા છે લોકો ની સુખાકારી માટે છતાં આરોપો લગાવે છે તે દુર્ભાગ્ય પૂર્ણ છે
ગીર કલેકટર ડી ડી જાડેજા દ્વારા વેરાવળ શહેર ના સોમનાથ ટૉકીઝ વિસ્તાર જલારામ સોસાયટી વિસ્તાર નિઝામ બેકરી વિસ્તાર સહિત અનેક એવા વિસ્તારો છે જ્યા છેલા 4 દિવસ થી પાણી ભરાયાં હતાં તેની મુલાકાત કરી લોકો નાં પ્રશ્નો સાંભળ્યા હતા અને તેને યોગ્ય કરવાની ખાતરી આપી હતી
પરાગ સંગતાણી, ગીર-સોમનાથ

