વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આજરોજ મળી હતી જેમાં સ્મશાનોના ખાનગીકરણનો મુદ્દો વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો ત્યારે ધારાસભ્ય અને કાઉન્સિલર એવા કેયુર રોકડિયાએ આ બાબતે ને પ્રજા હિતમાં ગણાવી નાગરિકોને લાંબા ગાળે ફાયદો મળશે તેવું સભામાં જણાવ્યું હતું.
તેઓએ જણાવ્યું હતું કે પહેલા 31 સ્મશાનો પૈકી ત્રણ કે ચાર સ્મશાનોમાં સંસ્થાઓ સેવા આપતી હતી પરંતુ હવે બધા જ સ્મશાનોમાં નાગરિકોને સિક્યુરિટી ગાર્ડનર અંતિમ ક્રિયા નો સામાન રજીસ્ટર માટે કર્મચારી આ તમામ બાબતો ની સેવા નાગરિકોને મળવા જઈ રહી છે. અને અગાઉ જે સંસ્થાઓ સ્મશાનમાં કામ કરતી હતી તેઓએ સારું જ કામ કર્યું છે અને જો તેઓને હજુ પણ સેવા આપી હોય તો તેના માટે પાલિકા આવકાર્ય છે પહેલા પણ પાલિકા સ્મશાનો મુદ્દે ખર્ચ ઉઠાવતી હતી અત્યારે થોડો વધારે ખર્ચ થશે પરંતુ તેની સામે વધુ સારી સુવિધા પાણી ટોયલેટ અંતિમ ક્રિયા આ તમામ સુવિધા સારી રીતે મળશે.

