વડોદરા મહાનગર પાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર એકના કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ સ્મશાનના ખાનગીકરણ મુદ્દે રોષ ઠાલવી વિરોધ નોંધાવ્યો હતો.
તેમણે ખાનગીકરણના મુદ્દાને ભ્રષ્ટાચાર ગણાવી ખાનગી સંસ્થાને ફાયદો કરાવનારો ગણાવ્યો હતો. જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે પોતાના માનીતાઓને જ આપવામાં આવ્યો છે જેથી આ મુદ્દે ભ્રષ્ટાચાર થવાનો જ છે. અમારા કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ કાઉન્સિલરે આ બાબતનો વિરોધ કર્યો છે ત્યારે આજની સભામાં ભારતીય જનતા પાર્ટીના પણ કાઉન્સિલરોએ આ મુદ્દે નારાજગી દર્શાવવી છે.

