સંસ્કારીનગરી વડોદરા વડોદરાના નાથ નવનાથ મહાદેવ આજરોજ વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નવનાથ મહાદેવના દર્શન માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં દ્રાવણના પવિત્ર અવસરે સાઇકલ મારફતે યાત્રાનું પ્રારંભ કરવામાં આવ્યું હતું.
વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર ત્રણ ના મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલબેન મહેતા દ્વારા આ વર્ષે પણ સાયકલ મારફતે વડોદરાના નવનાથ દર્શન કરવા લોકોને પ્રેરિત કર્યા હતા વિસ્તારના લોકો પોતાની સાયકલ લઇ વડોદરાના નવનાથના દર્શન કરવા નીકળ્યા છે, આ યાત્રામાં ભાગ લેનાર શિવભક્તોને કોઈપણ અગવડતા ન પડે તેની પૂર્ણ તકેદારી મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલબેન મહેતા દ્વારા રાખવામાં આવી છે તેમજ એમ્બ્યુલન્સ પીવાની પાણીની વ્યવસ્થા તેમજ પૂર્ણાહુતિ અને સમય મહા આરતી નો આયોજન નો લાભ પણ સાયકલ દ્વારા નવનાથના દર્શન કરવા નીકળેલા શિવ ભક્તોને મળી રહેશે. આ સાયકલ યાત્રામાં જોડાવા માટે આ વર્ષે 150થી વધુ રજીસ્ટ્રેશન મળવા પામ્યા હતા.
આ પ્રસંગે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબરના 3 મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલબેન મહેતા, છાયાબેન ખરાદી, હિન્દુવાદી નેતા તથા વરિષ્ઠ ધારાશાસ્ત્રી નીરજ જૈન તેમજ વિસ્તારના તથા વોર્ડના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહી આ યાત્રાને પ્રસ્થાન કરાયું હતું.

