ડભોઈ અને કરજણ પંથકના લોકો માટે લાંબા સમયથી પ્રતિક્ષામાં રહેલી રેલવે સુવિધા હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. છેલ્લા બે દિવસથી ડભોઈ-કરજણ રેલવે સેક્શન પર રેલવેના ઉઅધિકારીઓની દેખરેખ હેઠળ સઘન ટેસ્ટિંગ (ટ્રાયલ રન) કરવામાં આવી રહ્યું છે. ૭ વર્ષનું આયોજન: ૧૫ જુલાઈ ૨૦૧૮ના રોજ આ રૂટને નેરોગેઝમાંથી બ્રોડગેજમાં ફેરવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
સાત વર્ષના લાંબા સમય બાદ આ પ્રોજેક્ટ હવે પૂર્ણતાના આરે છેસફળ ટ્રાયલ રન: બપોરે ૧૨:૦૦ કલાકે ડભોઈથી કરજણ વચ્ચે પેસેન્જર ટ્રેનનું ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન રેલવેના એન્જિનિયરો અને અધિકારીઓએ દરેક સ્ટેશન પર ઊભા રહીને ટ્રેક, સિગ્નલિંગ સિસ્ટમ અને કાંટા (Points) ની ઝીણવટભરી તપાસ કરી હતી.
ગ્રામજનોમાં ખુશીની લહેર: જ્યારે ટ્રેન નડા, બારીપુરા, મંડાળા અને કાયાવરોહણ જેવા ગામોના સ્ટેશનો પરથી પસાર થઈ, ત્યારે સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ટ્રેનને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાટેસ્ટિંગનો હેતુ રેલવે વિભાગ દ્વારા કરવામાં આવેલા આ ટેસ્ટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. ટ્રેક પર કોઈ ટેકનિકલ ખામી નથી કે કેમ અને ટ્રેનની ગતિ મર્યાદા કેટલી રાખી શકાય, તે ચકાસવા માટે આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. હવે માત્ર અંતિમ મંજૂરી બાદ આ રૂટ પર નિયમિત મુસાફર ટ્રેન દોડતી થશે.આ રેલવે લાઈન શરૂ થવાથી ડભોઈ અને કરજણ વચ્ચેના વેપાર અને મુસાફરીમાં મોટો ફાયદો થશે અને સ્થાનિક રોજગારીને વેગ મળશે.

