40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વલ્લભ યુથ ઓર્ગેનાયજેશન ટ્રસ્ટ દ્વારા વિકસિત માંજલપુર સ્થિત વ્રજધામ અધ્યાત્મિક સંકુલ ખાતે થી આજે વહેલી સવારે વડોદરાથી શ્રીનાથજીને જોડતી ડેઈલી એસી બસ સેવા ની શ્રી વ્રજરાજ કુમાર મહોદય શ્રી અને વડોદરા ના સાંસદે બસ ને ફ્લેગો આપી પ્રસ્થાન કરાવી હતી…

ગુજરાત સરકારની શાખા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (જીએસઆરટીસી) દ્વારા એર કન્ડિશન્ડ (એસી) વોલ્વો લક્ઝરી બસ સેવા શરૂ કરવાની સાથે જ વડોદરા શહેરને રાજસ્થાનના યાત્રાધામ નાથદ્વારા શ્રીનાથજી સાથે સીધો સંપર્ક મળી ગયો છે. પરિવહન રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સોમવારથી આ સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આજે માંજલપુર ખાતે આવેલ વ્રજધામ સંકુલથી વડોદરા થી શ્રીનાથજી જવા એસી બસ ને શ્રી વ્રજરાજ કુમાર મહારાજ અને વડોદરા ના સાંસદ હેમાંગ જોશી અને વડોદરા બસ ડેપોના અધિકારી દ્વારા બસને ફ્લેગો આપી ને બસ નું પ્રસ્થાન કરાવ્યું હતું.
પરિવહન રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિકસિત માંજલપુર સ્થિત વ્રજધામ અધ્યાત્મિક સંકુલ ખાતે વૈષ્ણવો શ્રીનાથજી ના દર્શન કરવા ની જાહેરાત કરવામાં આવી હતી બસના માર્ગમાં અમદાવાદ, હિંમતનગર, શામળાજી, ખેરવાડા અને ઉદેપુર ખાતે સ્ટોપેજ હશે. બસ નાથદ્વારાથી સાંજે ૫.૩૦ વાગ્યે ઉપડશે અને મધ્યરાત્રિએ ૧૨ વાગ્યે વડોદરા પરત આવશે. ત્યારે વડોદરા ના શહેરીજનો એક જ દિવસમાં શ્રીનાથજી દર્શન કરી પરત આવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે

Related posts

વડોદરા શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય ઠગ ગેંગનો પર્દાફાશ કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા

admin

ડભોઇ તાલુકાના ધરમપુરી ગામમાં લાખોના ખર્ચે બનેલી પાણીની ટાંકી 13 વર્ષથી ધૂળ ખાય છે

admin

વડોદરા મહા નગર પાલિકા ખાતે પાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં સ્થાયી સમિતિના બેઠક તા. 23-08-2024 ને શુક્રવારની રોજ સાંજના ૪ ૦ કલાકે સમિતિખંડમાં મળી હતી…

admin

Leave a Comment