માંજલપુર વિસ્તારમાં રહેતા વિનોદ દીવાનભાઇ રાવળને સંતાનમાં ચાર દીકરીઓ હતી. 18 તારીખે પત્નીએ દીકરીનો જન્મ આપ્યો હોય જમનાબાઈ હોસ્પિટલમાં સાંજે ટિફિન લઈ બે દીકરીઓને બાઈક ઉપર પાછળ બેસાડી માટે નીકળ્યા હતા. વિહાર સિનેમા પાસે પ્રતાપ નગર બ્રિજ તરફથી પુરપાટ ઝડપે ઘસી આવેલ આઇસર ટેમ્પોના ચાલકે બાઈક સવાર પિતા પુત્રીઓને અડફેટે લેતા ટેમ્પોના ટાયર ફરી વળવાના કારણે 9 વર્ષીય પુત્રી દીપ્તિનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે પિતા તથા નાની દીકરીને બંને પગે તથા હાથે ઇજાઓ પહોંચી છે. ટેમ્પો ચાલક રાજસ્થાનનો દિનેશ પ્રભુલાલ નીનામા નશામાં હોવાનું જણાતું હતું. વાડી પોલીસે બનાવ મામલે તપાસ આરંભી છે

