ન્હારા ગામના અને ઝુમખા ગ્રામજનો જીવના જોખમે નદી પાર કરે છે
ન્હારા અને ઝુમકા ગામપાસે થી પસાર થતી ગોમા નદી ઉપર પુલ બનાવવા માટે ધણાવર્ષોથી ગામજનોની દ્વારા સ્થાનિક નેતાઓને ઘણીવાર રજૂઆત કરી હતી છતાં આજ દિન સુધી કોઈ પરિણામ મળ્યું નથી. તેમજ સાવલી તાલુકાના નેતાઓ પણ સ્થળ પર આવીને જતા રહ્યા તો પણ આજદિન કંઈ પણ કરવામાં આવ્યું નથી છતાં મગનું નામ મરી પાડવામાં તૈયાર નથી ન્હારા ગામના એક પ્રોગ્રામમાં પૂર્વ સાંસદ રંજનબેન આવ્યા હતા ત્યારે ગામજનો દ્વારા લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. પૂર્વ સાંસદ રંજનબેન હું તમને ચોક્કસ પુલ બનાવી આપીશ તેઓ કહેવામાં આવ્યું હતું પણ તેમનો કાર્યકાળ પૂરો થઈ જવા ગયો પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આથી ન્હારા ગામના અને ઝુમખા ગામના ગ્રામજનો , બાળકો અને મહિલાઓ પણ જોખમી વેતા પાણીના પ્રવાહમાં થઈ પસાર થાય છે અને ઝુમકા ગામના બાળકો પણ જોખમી વેતા પાણી મા પસાર થઈ ને અભ્યાસ કરવા માટે ન્હારા પ્રાથમિક શાળામાં આવે છે

