વડોદરા શહેરમાં કેટલાક દિવસ પૂર્વે યગ્નેશ શાસ્ત્રી નામના ઈસમે શહેરના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે સાથે ભૃગેશ પટેલ સામે પેટ્રોલ પંપ લખાવી લેવા સહિત ના આક્ષેપ લગાવ્યા હતા જેના પગલે રાજકીય મોરચે હડકંપ મચી જવા પામ્યો હતો ત્યારે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને ભૃગેશ પટેલ દ્વારા પાયા વિહોણા આક્ષેપો કરનાર યગ્નેશ શાસ્ત્રી સામે એડવોકેટ મીનલ ગોહીલ મારફતે શહેરની સિવિલ કોર્ટમાં નામદાર કોર્ટે સમક્ષ બે અલગ અલગ માનહાનિ ના દાવા દાખલ કરવામાં આવ્યા છે જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે ૧૦ કરોડ અને ભૃગેશ પટેલે પ કરોડ રૂપિયા ના માનહાનિના દાવા દાખલ કર્યો હોવાનું વાતચીત દરમ્યાન ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે ના એડવોકેટ મીનલ ગોહીલે વાતચીત દરમ્યાન વધુ માહિતી આપી હતી

