દર અમાસના રોજ તાલુકાના કરનાળી ખાતે આવેલા કુબેર ભંડારી દાદાના દર્શન માટે અવરજવર કરતા હોય અને હાલ ચોમાસા નું વાતાવરણ ચાલુ હોય ત્યારે માં કૃપા ગ્રુપ તરફથી ગરમ ગરમ ભજીયા નું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ડભોઇ તાલુકાના સિતપુર ગામ પાસે આવેલા પંચમુખી હનુમાન દાદાના મંદિર ખાતે મા કૃપા ગ્રુપ તરફથી દર અમાસના દિવસે તાલુકાના કરનાળી ખાતે કુબેર દાદા ના દર્શન માટે અવરજવર કરતા ભક્તજનો અને જાહેર જનતા માટે તેમજ ગરમી ની ઋતુ માં છાસ અને ખમણ નું કરિયું હતું અને હાલ ચોમાસા ની ઋતુ માં અત્યારે તમામ માટે ગરમ ગરમ ભજીયા નું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા ના માર્ગદર્શન હેઠળ જૂની માંગરોળના સંજયભાઈ ઠાકોર અને તેઓની ટીમ દ્વારા સુંદર સેવાનું કાર્ય કરી રહ્યા છે.

