વડોદરા કોર્પોરેશનમાં વિકાસની જાણે હોડ જામી છે વિવિધ વિભાગો દ્વારા વિકાસ કાર્યોને હાથ પર લેવામાં આવ્યા છે અને તેમાં પણ નાગરિકોને રોડ પાણી ડ્રેનેજ સહિતની તમામ સુવિધાઓ મળી રહે તેના માટે કોર્પોરેશનને કમર કસી છે પરંતુ કોર્પોરેશનના જ અધિકારીઓમાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે જેમાં પરિવાર ચાર રસ્તા નજીક આવેલ સાઈબાબા મંદિરથી નીલાંબર બંગલા સુધી 24 લાખ ઉપરાંતના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ હાલમાં જ એક વર્ષ બાદ ચોમાસા પૂર્વે જાગ્યું હતું પાણી પુરવઠા વિભાગ અને પાણી લાઈન નાખવાનું હાથ પર લીધું હતું પરંતુ અધિકારીઓએ જે તે સમયે રોડ બનતા પહેલા આ કામગીરી નહીં કરતા હાલમાં જ્યાં લાઈન નાખે છે તે રોડ સાઈડમાં ચરીપુરાણ બેસી જતા નાગરિકોને હાડ મારી વેઠવાનો વખત આવ્યો છે અને હવે ચોમાસા સુધી આ લાઈન પર ફરી રોડ બનાવવાનો માત્ર સપનું જ રહેશે જે પણ કામ થશે તે ચોમાસા બાદ થશે અને તે પણ હવે પેચ વર્ક જ કરવામાં આવશે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે ત્યારે નાગરિકોને નવા રોડના સ્થાને ફરીથી બેચ વર્ક વાળો ઉબડખાબડ રોડ મળે તો નવાઈ નહીં તેવા પણ સવાલો ઊભા થયા છે. તો બીજી તરફ સ્થાનિક નાગરિકે કોર્પોરેશનના અધિકારીઓ સામે આક્ષેપો કર્યા હતા

