વિસાવદર તાલુકાના કાલસારી ગામના ઉપવાસ આંદોલનમાં આત્મવિલોપનની ચીમકી આપનાર ઉપવાસીને કરાયા લોકપ આજે વિસાવદર તાલુકાના કાલસારી ગામના ગૌચર મુક્ત કરાવવા બાબત છેલ્લા 18 થી 19 દિવસથી ઉપવાસ પર બેઠેલા કાલસારી ગામના માલધારી સમાજના આગેવાનોએ થોડા સમય પહેલા જો ગૌચર મુક્ત કરવામાં નહીં આવે તો આત્મવિલોપન કરશું તેવી ચીમકી આંદોલનમાં ઉપવાસ પર બેઠેલા જાગાભાઈ ભરવાડે કરી હતી જેના અન્વયે આજે વિસાવદર પોલીસ સ્ટાફ દ્વારા તેમને ઉપવાસ પર બેઠેલા સ્થળેથી પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા આ બનાવ ના કારણે વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના માલધારી સમાજ ના આગેવાનો અગ્રણીઓ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા અને ઉપવાસ પર બેઠેલા અને આત્મ વિલોપનની જેમ કે ઉચ્ચારનાર જગાભાઈ ને લોકઅપ કરવામાં આવ્યા હતા . રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

