વડોદરા શહેરના સુભાનપુરા ખાતે રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 49 મો ગણેશ ઉત્સવ ઉજવવાની તૈયારી ના ભાગરૂપે ભૂમિ પૂજન કરવામાં આવ્યું.
વડોદરા શહેર માં ગણપતિ ઉત્સવ ધૂમધામથી ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે સુભાનપુરા વિસ્તારમાં રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 48 વર્ષથી ગણેશ ઉત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે 49 મો ગણેશ ઉત્સવ ની ધુમધામથી ઉજવણી કરનાર છે ત્યારે ગત રોજ સાંજે રામેશ્વર યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવ ની ઉજવણી ના ભાગરૂપે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. ભૂમિ પૂજન કાર્યક્રમમાં રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કાર્તિક ચૌધરી, અરુણ જોશી, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નં .૯ ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે,રોનક આયરે, સ્વેજલ વ્યાસ , રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં રામેશ્વરના રાજા નો રેખાચિત્ર રજૂ કરાયા હતા્ સાથે સાથે નવા અભિગમ સાથે રામેશ્વર મહાદેવ મંદિર કમિટી દ્વારા આખા વર્ષના અને ફુલ ભેગા કરીને એનું કોમ્પોસ ખાતર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં 500 કિલો છાણ 1000 લીટર ગૌમુત્ર માટી આ બધું મિક્સ એકત્રિત કરવામાં આવ્યા હતા કરીને રામેશ્વર મહાદેવ મંદિર કમિટી ના મેનેજર અરૂણભાઇ જોશીના માર્ગદર્શન હેઠળ એમની સ્વયંભૂ મહેનતથી આ ઓર્ગેનિક ખાતર તૈયાર કરવામાં આવી હતી કરી ઓર્ગેનિક ખાતર બધા ભક્તોને મફત આ ખાતર વિતરણ ઘરે ઘરે કરવાના માં આવશે્ તેનું ગતરોજ સાંજે શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે નાવરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં.. રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કાર્તિક ચૌધરી, રામેશ્વર મહાદેવ મંદિર કમિટીના મેનેજર અરુણ જોશી, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નં .૯ ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે,રોનક આયરે, સ્વેજલ વ્યાસ , રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

