વડોદરા શહેર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ ઝવેરીનું 67 વર્ષની વયે હૃદય રોગના હુમલાના કારણે ગત 8 જુલાઇના રોજ અમેરિકામાં નિધન થયું હતું. ત્યારબાદ તેમનો મૃતદેહને ગતરોજ અમેરિકાથી વડોદરા લાવવામાં આવ્યો હતો.મૃત્યુ બાદ આજે આઠમાં દિવસે વડોદરાના ‘નેતા’ના અંતિમદર્શન સાથે અંતિમયાત્રામાં હજારો લોકો ઉમટયા હતા.મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો પણ અંતિમયાત્રામાં જોડાયા હતા.માંજલપુર સ્મશાન ખાતે ચિરાગ ઝવેરીના પાર્થિવ દેહના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.વડોદરાએ તેના લોકપ્રિય ‘નેતા’ને અશ્રુભીની આંખે વિદાય આપી હતી.

