વડોદરાના દાંડિયા બજારમાં આવેલા એક ગેસ વિભાગમાં એસીમાંથી ગેસ લીકેજ થતાં અફરા તફરી મચી ગઈ હતી. સલામતીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક લાઈટ કનેકશન બંધ કરાયું હતું. જેના કારણે ગેસ ઓફિસે આવેલ ગ્રાહકોનો જીવ અધ્ધર થઇ ગયો હતો. કારણકે ત્રણ માળની આ બિલ્ડિંગમાં ફાયર એક્ઝિટ જેવી પ્રાથમિક વ્યવસ્થા પણ ઉપલબ્ધ નથી ? જે ગંભીર ચિંતાનો વિષય છે. જો આગ લાગે તો બહાર નીકળવા માટે કોઈ સુરક્ષિત રસ્તો નથી એટલું ઓછું હોય ત્યાં રસ્તા પર ACના આઉટડોર યુનિટ મૂકવામાં આવ્યા છે. આવી બેદરકારીના કારણે કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે ત્વરિત પગલાં લેવામાં આવે !

