વડોદરાના બાજવાડા વિસ્તારમાં આવેલા બંધ મકાનમાં 1.97 લાખના સોનાં દાગીનાં અને ચાંદીના વાસણોની ચોરી થઈ હતી,દરમિયાન ચોરીની ફરિયાદ બાદ પોલીસ કમિશ્નર નરસિંહમા કોમાર અને DCP યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી અને કારેલીબાગથી મનસુખ ઉર્ફે મનીષ દંતાણી અને આકાશ ઉર્ફે પપ્પુ વાઘરીને પકડી પાડ્યા હતા.આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કરી પૂછપરછ કરતા તેમણે ગુનાની કબૂલાત આપી હતી. બંને સામે કાયદેસર કાર્યવાહી કરીને સીટી પોલીસને સોપાયા હતા, વડોદરા પોલીસે આ ગુનો ઉકેલી મહત્વની સફળતા મેળવી છે.
previous post

