વડોદરા શહેર માં ચાલતી સરકાર માન્ય સસ્તા અનાજ ના દુકાન ના સંચાલકો દ્વારા પોતાની પડતર માંગણીઓ મુદ્દે આવેદન આપી રજૂઆત કરી હતી.
વડોદરા શહેરના શહેરના સરકાર માન્ય સસ્તા અનાજ ની દુકાન ના સંચાલકો દ્વારા પોતાના પડતર પ્રશ્નો ને લઇ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. અને જણાવ્યું હતું કે જો માંગણીઓ નહીં સંતોષાય તો આવનાર નવેમ્બર માસ માં અનાજ ના જથ્થા નુ વિતરણ કરવામાં નહીં આવે એવી ચિમકી પણ ઉચ્ચારી છે. ફેર પ્રાઈઝ એશોસિયેશન સરકાર ના પુરવઠા મંત્રી અને સંબધિત અધિકારી સામે વર્ષો જુની પડતર માંગણી ઓ જેમકે કમીશન માં વધારો કરવામાં આવે , ઈ પ્રોફાઈલ સહાયક માં વધારો કરવામાં આવે સિંગલ ફિંગર પ્રિન્ટ દ્વારા બે બિલ બને , સમિતિ ના સભ્યો ના ૮૦ ટકા બાયોમેટ્રિક વેરીફીકેશન ના પરિપત્રો રદ કરવા , સમયસર કમીશન નુ ચુકવણું કરવામાં આવે , ટેકનીકલ અને વહીવટી પ્રશ્રો નુ નિરાકરણ કરવામાં આવે લાંબા સમય થી પડતર પ્રશ્નો ની રજુઆતો કરવામાં આવે છે.તેમ છતાંય માંગણી ઓ સ્વીકારવામાં આવે એવી ગુજરાત રાજ્ય ના બન્ને સંગઠનો ઓલ ગુજરાત ફેરશપ્રાઈઝ શોપ એશોસિએશન અને ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એશોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જો પડતર માંગણીઓ નહીં સંતોષાય તો નવેમ્બર ૨૦૨૫ થી વિતરણ પ્રક્રિયા થી દુર રહેવામાં આવશે.તેમ નક્કી કરવામાં આવ્યું છે.

