35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

હરિયાળી અમાવાસ્યા નિમિત્તે તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવજી ના દર્શનાર્થે મોટી સંખ્યામાં શિવભકતો ઉમટયા

વડોદરા જિલ્લાના નર્મદા કિનારે આવેલા તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવજી મંદિર નું અત્યંત પૌરાણિક મહાત્મ્ય રહેલું છે આ મંદિરે પાંચ અમાસ ભરવાથી ભક્તોની સર્વ મનોકામના પૂર્ણ થતી હોવાથી શ્રદ્ધા સાથે પ્રતિ અમાસ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ કુબેર દાદા ના દર્શનાર્થે ગુજરાત સહિત વિવિધ પ્રાંતમાંથી ઉમટતા હોય છે આજરોજ રવિ પુષ્ય નક્ષત્ર રવિવારની રજા અને હરિયાલી અમાસ નિમિત્તે શ્રદ્ધાળુઓનો મહાસાગર કરનાળી તીર્થમાં છલકાયો છે ગત મોડી રાતથી જ અવિરત પણે શ્રદ્ધાળુઓ પધારી કતારમાં શિસ્ત બદ્ધ રીતે ઉભા રહી દાદા ના દર્શન નો લાભ મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે આજરોજ હરિયાલી અમાસ હોય મંદિરના મુખ્ય ટ્રસ્ટી મહંત દિનેશ ગીરીજી મહારાજે એક વૃક્ષ માતા-પિતા તેમજ કુબેર દાદા ના નામે વાવવા અંગે શ્રદ્ધાળુઓને અનુરોધ કર્યો હતો આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આખાય માસ દરમિયાન પણ શ્રદ્ધાળુઓ કુબેર દાદાના દર્શન પૂજન નો લાભ મેળવવા ઉમટશે


રીપોટર વિકાસ ચતુર્વેદી ડભોઈ

Related posts

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા શનિદેવ મંદિર ખાતે ખાટું શ્યામ બાબા ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.

admin

વડોદરા કમાટી બાગ ખાતે ઝૂમાં પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવા પાણીનો છંટકાવ

admin

વડોદરા શહેરમાંથી ૪૦૫ નાના મોટા હોર્ડિંગ્ઝ અને બોર્ડ હટાવ્યા

admin

Leave a Comment