ગુજરાત સરકાર અને ભારત સરકારના એનડીએમએ દ્વારા વર્ષ 2018 થી 23 દરમિયાન રાજ્યભર ના 9,354 જેટલા આપદા મિત્રોને એસ ડી આર એફ દ્વારા નિવાસી તાલીમ આપી તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા ત્યારે ચોમાસા ની ઋતુને ધ્યાનમાં રાખી તાલુકા વહીવટી તંત્ર ડભોઈ તેમજ એસ ડી આર એફ લાલબાગ વડોદરા ના સંયુક્ત ઉપક્રમે તાલીમ પામેલા 50 ઉપરાંત આપદા મિત્રો ની એક દિવસીય રિફ્રેશર શિબિર ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે યોજવામાં આવી હતી સવારના સેશનમાં આ આપદા મિત્રો ને ડિઝાસ્ટર ની પરિસ્થિતિમાં વહીવટી તંત્રને મદદરૂપ થવા તેમજ એન ડી આર એફ અને એસ ડી આર એફ સાથે સંકલનમાં રહી પૂર બચાવ કામગીરી, રાહત વિતરણની કામગીરી, સ્થળાંતરમાં મદદરૂપ થવું, રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી સુંદર રીતે બજાવી શકે તે અંગેની બી એન હાઇસ્કુલ ના હોલમાં મૌખિક તેમજ પ્રોજેક્ટર માધ્યમ સવિસ્તાર માર્ગદર્શન સાથે સમજ અપાઈ હતી તો બપોર ના સેશનમાં ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના નર્મદા કિનારે પૂર બચાવ કામગીરી, પ્રાથમિક સારવાર જેવા વિષયોમાં ની પ્રત્યક્ષ તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ એક દિવસીય કેમ્પમાં ડભોઇ મામલતદાર ડીવી ગામિત, ઈ ધરા નાયબ મામલતદાર હિતેશ રાણા, સર્કલ ઓફિસર પ્રવીણ જોશી તેમજ એસડીઆરએફ લાલબાગ વડોદરા ના પી.એસ.આઇ કે.એસ રાઠવા અને તેઓની ટીમ ઉપસ્થિત રહી હતી

