તાલાળા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી. આજે તાલાળા તેમજ આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા આદિવાસી સિદી સમાજના ભાઈઓ બહેનો તેમજ આગેવાનો અને અગ્રણીઓએ ભારત સરકારે 9 ઓગસ્ટ ને આદીવાસી દિવસ તરીકે જાહેર કરેલ છે જેના અનુસંધાને આજે તાલાળા તેમજ તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર મા તમામ આદીવાસી ભાઈઓ બહેનોએ એક ભવ્ય રેલી કાઢી ને આદિવાસી ના ભગવાન એવા વિરસા મુન્ડાને યાદમા શહેર ના મુખ્ય માર્ગ પર રેલી નિકળી હતી અને આ આદિવાસી સમાજમાં એકતા અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ આ રેલી તાલાળા આંબેડકર ચોકમાં પહોંચી અને ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરને આદિવાસી સમાજના આગેવાનો અને અગ્રણીઓ દ્વારા પુષ્પહાર પહેરાવવામાં આવ્યા હતા. અને પુરા ઉત્સાહ સાથે રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપર પસાર કરવામાં આવી હતી. આમ, વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી તાલાળા ખાતે કરવામાં આવી હતી .બ્યુરો ચિફ લલિત ચાવડા સાથે કેમેરા મેન હરી ભાઈ સોંદરવા તાલાળા
previous post

