32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગણેશજીની આગમન યાત્રામાં કાંકરીચાળો : પોલીસે બાજી સંભાળી

વડોદરામાં વિવિધ મંડળોના ગણેશજીની આગમન યાત્રા હાલ ચાલ રહી છે. તેવામાં ગતરાત્રે મધુનગર પાસે કરોળિયા-ગોરવા રોડ પર યંગસ્ટર ગ્રુપના ગણેશજીની આગમન યાત્રા નિકળી હતી. દરમિયાન અંદરોઅંદર ગેરસમજ ઉભી થવાના કારણે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જો કે, આ તકે બે પોલીસ મથકના પીઆઇ સ્થળ પર હાજર હોવાના કારણે તુરંત સ્થિતી સંભાળી લેવામાં આવી હતી. આ ઘટનામાં હોહા-દેકારો કરીને માહોલમાં ગેરસમજ ઉભી થાય તેવું કરનારા તત્વોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે.

વડોદરામાં ગણોશોત્સવની ઉજવણી રંગેચંગે કરવામાં આવે છે. ગણેશજીની આગમન યાત્રા, ગણેશજીના પંડાલમાં વિવિધ પ્રકારના ડેકોરેશન અને ગણેશજીની વિસર્જન યાત્રા તમામ લોકોમાં આકર્ષણ જમાવે છે. તેવામાં શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા પણ પહેલાથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. વડોદરા પોલીસ દ્વારા પણ ગણેશોત્સવને પગલે કમર કસી છે. અત્યાર સુધી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ગણેશજીની આગમનયાત્રા નિકળી છે. તેવામાં ગતરાત્રે મધુનગર પાસે કરોળિયા-ગોરવા રોડ પર યંગસ્ટર ગ્રુપના ગણેશજીની આગમન યાત્રા સમયે કેટલાક તત્વોએ માહોલ બગાડવાનો પ્રયત્ન કરતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જેને પગલે સ્થળ પર હાજર પોલીસ જવાનોએ બાજી સંભાળી હતી. આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

સમગ્ર મામલે ડીસીપી જુલી કોઠીયાએ જણાવ્યું કે, ગણેશજીની યાત્રી નિકળી હતી. અને વરસાદી વાતાવરણ હતું. અને ડીજે ને ગણેશજીની મૂર્તિ વચ્ચેનું ડિસ્ટન્સ વધી જતા, ડીજેની હાઇટ વધારે હોવાથી આગળ વાયરને પગલે ટોળાને સુચન કરતા હોહા-દેકારો કરી મુક્યો હતો. જેથી ગણેશજી ની મૂર્તિ વધારે પાછળ રહી ગઇ હોવાથી લોકોને લાગ્યું કે, પથ્થર મારો થયો છે. જેથી નાસભાગ મચી હતી. અંતે કેટલાક લોકો પોતાના ચપ્પલ રસ્તા પર જ મુકીને પડતા-પડતા ભાગ્યા છે. તે સમયે પોલીસ સ્થળ પર જ હાજર હતી. ગોરવા અને જવાહર નગર પોલીસ મથકના પીઆઇ હાજર હતા. ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. કોઇ બનાવ બન્યો નથી. પરંતુ અફવાહ ઉડાડી, હોહા-દેકારા કર્યા છે. અને નાસભાગની સાથે રસ્તામાં પડેલા વાહનોને નુકશાન થયું હોવાનું ધ્યાને આવ્યું છે. આ નુકશાન કોણે કર્યું છે, ક્યારે થયેલું છે, કોના દ્વારા કરવામાં આવ્યું છે તે તપાસ કરવાની કાર્યવાહી ચાલુ છે.

જોકે સમગ્ર ઘટનાના વિડીયો સામે આવતા કેટલાક અટકચાળા તત્વોએ બુમાબુમ માચાવીને વાતવરણ ઉશ્કેરવાના પ્રયત્નો કર્યા હોય તેમ જણાઇ આવે છે. અને એક તબક્કે પથ્થરમારો પણ કર્યો હોવાનો વાયરલ વિડીયો સામે આવ્યો છે. પોલીસે સત્વરે સ્થિતિ સંભાળી લેતા આગમન યાત્રા આગળ ધપાવવામાં આવી હતી. જ્યારે કેટલાક તોફાની તત્વોની ઓળખ કરીને તેઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

ડભોઇ પંથકમાં ચોમાસા બાદ વરસેલા પાછોતરા વરસાદ તેમજ વાવાઝોડા ના પરિણામે ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું

admin

વડોદરા શહેરના બજારોમાં અવનવી ગરબીઓ નું વેચાણ જોવા મળ્યું

admin

વડોદરા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ

admin

Leave a Comment