વિશ્વભરમાં પોતાના દિવ્ય સેવા કાર્યોની સુવાસ અને ભગવદ જ્ઞાન પ્રસરાવીને લાખો જીવોને શ્રી પ્રભુ ભક્તિમાં પ્રેરિત કરવા સતત અગ્રેસર એવા વાત્સલ્યમૂર્તિ વિશ્વવંદનીયા પરમવિદુષી શ્રીવલ્લભ કુલભૂષણા નિત્ય લીલાસ્થ પૂજ્યપાદ *ગોસ્વામી 108 શ્રી ઇન્દિરાબેટીજી મહોદયાશ્રી (પૂજનીયા શ્રીજીજી)નો મંગલ પ્રાગટ્ય ઉત્સવ શ્રાવણ વદ ચોથ, 23 ઓગસ્ટ 2024, શુક્રવાર ના રોજ શહેરના વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ના સાનિધ્યમાં સંપન્ન કરવામાં આવ્યો
આ કાર્યક્રમમાં ના મુખ્ય અતિથિ ડો મિતેશ શાહ ગુજરાત મેડિકલ એસોસિએશન ઉપપ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિ સંગીત સંધ્યાનો આયોજન રાખવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં તમામ વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા

