વડોદરાના ચર્ચિત હરણી બોટ દુર્ઘટનામાં જાન ગુમાવનાર બાળકોના પરિવારજનો આજે અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. પીડિત પરિવારો બાળકોને ન્યાય મળે તે માટે લાંબા સમયથી ભટકી રહ્યાં છે.
કેજરીવાલે પરિવાર સાથે મુલાકાત કરી તેમની વ્યથા સાંભળી હતી અને ન્યાય માટે તમામ સંભવિત પ્રયાસ કરવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પીડિત પરિવારને વહેલી તકે ન્યાય મળે તે માટે તેઓ સંબંધિત સ્તરે વાતચીત કરશે.
પરિવારજનો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે હવે તેમની લડતને વધુ ગતિ મળશે.

