40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ગીર સોમનાથ જિલ્લો

ગીર સોમનાથ જિલ્લાના તાલાળા વિસ્તારમાં મેઘ રાજા મનમુકી ને વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.

ગીર સોમનાથનાં તાલાળા ગીર સહિત ગ્રામ્ય પંથકોમાં છેલ્લા બે દિવસથી મેઘ રાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે.આ વર્ષ ચોમાસુ મોડું શરૂ થતાં ખેડૂતો ચિંતિત બન્યા હતા. પરંતુ છેલ્લાબે દિવસથી ગીર પંથકમાં મેઘ મહેર થતા ગીર વિસ્તારના કેટલાક ભાગના ખેડૂતોએ આજથી જ મગફળી, સોયાબીન,તુવેર સહિતનાં પાકોનું વાવેતર શરૂ કરી દીધું છે.ગીર વિસ્તારમાં પ્રથમ આગોતરી મગફળીનું વાવેતર થયા બાદ ચોમાસુ વાવણીની શરૂઆત પ્રથમ થઈ છે.હજુપણ ગીરનાં કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થયો નથી.હવે પછીના ત્રીજા વરસાદ થયા બાદ ફરી વાવણી શરૂ થશે.

ગીરનાં ખેડૂતોનાં કહેવા મુજબ તાલાળા તાલુકાના વિઠ્ઠલપુર,રાયડી સહિતના ગામોમાં વાવણી લાયક વરસાદ થયો છે તો ગીર બોર્ડેરના ગામો જેવાકે હરમડિયા,વલાદર,ગાંગેથા,અરણેજ સહિતના ગામોમાં સારો વરસાદ થયો છે.હવે સચરાચર વરસાદની આશા ખેડૂતો સેવી રહ્યા છે.જે વિસ્તારમાં સારો વાવણી લાયક વરસાદ થયો છે ત્યાં ખેડૂતો દ્વારા વાવણી શરૂ કરી દેવામાં આવી છે.આથી સેંકડો હેક્ટર જમીનમાં વાવણી થશે.ખેડૂતો ને આશા છે કે આ વર્ષ ચોમાસુ ભલે મોડું શરૂ થયું હોય પરંતુ ખુબજ સારું રહેશે.જેથી ગીર પંથકમાં વિવિધ પાકોનું ઉત્પાદન પણ સારૂએવું થશે.

Related posts

ગીર સોમનાથ ના પાધેશ્વરી આશ્રમ મટાણા ખાતે શ્રી રામ પારાયણ તથા નેત્ર નિદાન કેમ્પ દંત નિદાન જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો….

admin

ગીર સોમનાથ જિલ્લા માં યુરિયા ખાતર ની વર્તાઇ અછત.

admin

તાલાળા પંથકમાં મેઘરાજની મહેર હિરણ નદીમાં ઘોડાપૂર

admin

Leave a Comment