વડોદરા શહેરમાં જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર રવિવારે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી આ સેવા હેઠળ આજે રવિવારે શ્રદ્ધાળુઓને દર્શન માટે રવાના કરવામાં આવ્યા હતા.
આજે ઝાંસી કી રાણી ચોક ખાતે આવેલા કાર્યાલયથી અંદાજે 20 જેટલી બસો રવાના કરવામાં આવી હતી. જેમાં વોર્ડ નંબર 9 વિસ્તારની લગભગ 45 જેટલી સોસાયટીઓના નાગરિકો અને રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા. શ્રદ્ધાળુઓ અંબાજી મંદિર અને ખેડબ્રહ્મા ખાતે દર્શન કરવા માટે ઉત્સાહભેર રવાના થયા હતા.
આ પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત યાત્રાળુઓને બસ વ્યવસ્થા, ભોજન સહિતની તમામ સુવિધાઓ ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે.
આ પ્રસંગે પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરેએ જણાવ્યું હતું કે વિસ્તારની જનતા સુખ-દુઃખમાં હંમેશા સાથે ઉભી રહી છે, તેથી વિસ્તારના લોકો માટે આ દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવે છે.
દર્શન યાત્રાના આયોજન બદલ સ્થાનિક નાગરિકોએ આયરે પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

