ડભોઇ તાલુકાના પારીખા અને મંડાળા વચ્ચેના માર્ગ પર એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં અચાનક મોટરસાયકલ સામે આવી જવાથી એક કપિરાજ (વાંદરો) ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ અકસ્માતમાં કપિરાજના હાથ અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સદ્ભાગ્યે, એક જાગૃત નાગરિકની સમયસૂચકતા અને માનવતાના કારણે આ ઘાયલ કપિરાજને તાત્કાલિક સારવાર મળી શકી છે.આ અકસ્માત દરમિયાન મોટરસાયકલ પર સવાર વ્યક્તિને પણ નાની-મોટી ઈજાઓ થઈ છે
ડભોઇના રહેવાસી ધવલ જયસ્વાલ જ્યારે આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમની નજર ગંભીર રીતે ઘાયલ થયેલા કપિરાજ પર પડી હતી. કપિરાજની ગંભીર હાલત જોઈને તેમણે સમય બગાડ્યા વિના પોતાની ગાડીમાં તેને મૂક્યો હતો અને તાત્કાલિક સારવાર માટે ડભોઇ પશુ દવાખાને લઈ આવ્યા હતા. ધવલ જયસ્વાલની આ માનવતાભરી પહેલ ખરેખર પ્રશંસનીય છે.પશુ દવાખાને સારવાર ચાલુ
ડભોઇ પશુ દવાખાનાના ડોક્ટરો દ્વારા ગંભીર ઇજાગ્રસ્ત કપિરાજની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. ડોક્ટરોએ જણાવ્યું કે તેના હાથ અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ હોવાથી સઘન સારવાર આપવામાં આવી રહી છે. હાલમાં કપિરાજની હાલત સ્થિર રહે તે માટે તબીબો પ્રયત્નશીલ છે.કે માર્ગો પર વાહન ચલાવતી વખતે આપણે માત્ર માણસો પ્રત્યે જ નહીં, પણ રસ્તા પર આવતા મૂક પશુઓ પ્રત્યે પણ સંવેદનશીલ અને સાવધ રહેવું જરૂરી છે.

