33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોસંખેડા

સમારકામના ત્રીજા જ દિવસે ખુનવાડ માઈનોર કેનાલ તૂટી : 15 ફૂટનું ભંગાણ, ગુણવત્તા ઉપર સવાલોચ્ચાર

સંખેડા : સંખેડા તાલુકામાં ભાટપુર–ટીંબા વચ્ચે આવેલા ખુનવાડ માઈનોર કેનાલમાં તાજેતરમાં કરાયેલા સમારકામની હકીકત ત્રીજા જ દિવસે બહાર આવી છે. કેનાલના લગભગ 15 ફૂટના ભાગમાં મોટું ભંગાણ પડતા સિંચાઈ વિભાગની કામગીરી અને મરામતની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

કૃષિ આધારિત સંખેડા વિસ્તારમાં કેનાલ સિસ્ટમ મહત્વની કડી છે. પરંતુ ત્રણ દિવસ પહેલાં જ થયેલા રીપેરીંગ બાદ કેનાલ તૂટી જતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે “વિકાસના નામે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. નબળી સામગ્રીથી મરામત થવાથી જ કેનાલ ત્રણ દિવસમાં તૂટી પડી છે.”

ભાટપુર–ટીંબા વચ્ચેના વિસ્તરમાં પાણીનો વેડફાટ થયો અને આસપાસના ખેતરોમાં પણ પાણી ફેલાઈ જતાં ખેડૂતોને સીધી અસર થઈ છે. સિંચાઈ વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને પ્રાથમિક તપાસ શરૂ કરી છે.

Related posts

ગોલાગામડી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સાંસદ જશુભાઇ રાઠવાના અધ્યક્ષતામાં ‘કિસાન સન્માન સમારોહ’ યોજાયો

admin

છોટાઉદેપુરમાં દિવાળી નજીક આવી પરંતુ રંગોળીના ધંધામાં ઓર્ડર આવતો નથી. મંદીનો માહોલ વેપારીઓ ચિંતિત જોવા મળી

admin

મહાશિવરાત્રી પૂર્વે નસવાડી બજારમાં મંદી, વેપારીઓને છેલ્લી ક્ષણની આશા

admin

Leave a Comment