વડોદરા: સંકષ્ટ ચોથના પાવન અવસરે રાવપુરા વિસ્તારમાં સ્થિત શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં વિશેષ મહાપૂજા, કેસર સ્નાન અને મહા આરતીનું ભક્તિમય આયોજન કરવામાં આવ્યું હતું.
વહેલી સવારે ગણપતિ બાપાને કેસર સ્નાન કરાવવામાં આવ્યું ત્યારબાદ ગણેશ સ્તોત્રોચ્ચાર સાથે મહાપૂજા અને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. મંદિરમાં વહેલી સવારે થી જ ભક્તોની અવરજવર વધતી જોવા મળી હતી.
આજનો ચંદ્રોદય રાત્રે 8.36 કલાકે થનાર હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા સાંજે વિશેષ મહા આરતી રાખવામાં આવી છે. તમામ ભક્તોને આરતીનો લાભ લેવા વિનંતિ અને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ભક્તોએ સંકષ્ટ ચોથના વ્રત સાથે વિઘ્નહર્તા ગણપતિના આશીર્વાદ મેળવવા માટે ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.

