43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના મકરપુરા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ 6 ટુ-વ્હીલર તથા 4-સાઇકલ સાથે એક રીઢા ચોરને પકડી પાડતી મકરપુરા પોલીસ

વડોદરાના મકરપુરા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી તથા સોમા તળાવ પાસેથી ચોરી કરેલ કુલ-૬ ટુ વ્હીલર તથા કુલ-૪ સાઇકલ સાથે એક રીઢા ચોર ને પકડી પાડી ચોરીના છ અનડીટેકટ ગુના ડીટેકટ કરતી મકરપુરા પોલીસ

મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમ બનાવી સી.સી.ટી.વી. તથા હ્યુમનસોર્સ આધારે તપાસમા કરતા હતા તે દરમ્યાન આજ રોજ મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીગમા હતો તે દરમ્યાન અત્રેના અ.પો.કો લાલજીભાઈ સંજયભાઈ બ.નં.૧૯૪૩ તથા અ.પો.કો દેહુરભાઈ વરજાંગભાઈ બ.નં.૧૪૯૨ નાઓને સંયુકત બાતમીદાર રાહે બાતમી હકિકત મળેલ કે, “એક ઇસમ નામે સંદેશ જાદવ જેને બદનમા સ્કાય બ્લુ કલરનો શર્ટ પહેરેલ છે. જે એક ચોરીની વ્હાઇટ કલરની એકટીવા જેનો આગળ પાછળ નો નંબર પ્લેટ નથી તે લઇ વેચવા સારૂ ફરે છે. અને હાલમા તે સિધ્ધેશ્વર હિલ નેશનલ હાઇવે થઇ પાર્વતી નગર તરફ ના રસ્તે આવનાર છે”. વિગેરે બાતમી આધારે રસ્તે જતા બે પંચોના માણસો બોલાવી બાતમી વાળી જગ્યાએ વોચ તપાસમા રહી એક ઇસમ નામે સંદેશ વિઠ્ઠલભાઈ જાદવ ઉ.વ.૩૪ હાલ રહે ભાલીયાપુરા ગામ પાસે, બ્રીન્જા રેસીડેંસી, તા.જી.વડોદરા મુળ રહે.આચરોલી ગામ, તા-મહાર, જી-રાયગઠ રાજય-મહારાસ્ટ્ર નાનો આવતા તેને કોર્ડન કરી તેની પાસે નંબર પ્લેટ વગર ની એક્ટીવા મળી આવેલ જેના માલીકીના પુરાવા રજુ કરવા જણાવતા સદરી ઇસમ ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપેલ જેથી સદરી એકટીવા ચોરી અગર છળ કપટ થી મેળવેલ હોવાનું સ્પષ્ટ જણાતા તેને પોતે ચોરી કરેલાની હકિકત જણાવેલ ત્યારબાદ પકડાયેલ ઇસમને કડકાયથી વધુ પુછપરછ કરતા આ સિવાય અન્ય પાંચ ટુ વ્હીલર ચોરી કરી ભાલીયાપુરા ગામ પાસેના બ્રીન્જા રેસીડેંસી એપાર્ટમેન્ટની નવી બંધાતી બિલ્ડીંગ ના પાર્કીંગમા મુકેલાની હકિકત જણાવતો હોય જેથી પકડાયેલ ઇસમને સાથે રાખી તપાસ કરતા ત્યાથી અન્ય પાંચ ટુ વ્હીલર મળી આવેલ જે ટુ વ્હીલર તરસાલી મા અલગ અલગ જગ્યાએ તથા સોમા તળાવ પાસેથી ચોરી કરેલાની હકિકત જણાવતા તેને પાસેથી મળી આવેલ કુલ છ ટુ વ્હીલર જેની કિ.રૂ.૧,૮૫,૦૦૦/- ગણી ભારતીય નાગરીક સુરક્ષા સહિતા-૨૦૨૩ ની કલમ ૧૦૬ મુજબ તપાસ અર્થે કબ્જે કરવામા આવેલ છે. તેમજ સદર ઇસમને આજરોજ તા.૧૮/૦૩/૨૦૨૪ ના કલાક-૧૮/૦૦ વાગે ભારતીય નાગરીક સુરક્ષા સહિંતા-૨૦૨૩ ની કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી આગળનીકાર્યવાહી ચાલુ છે.

Related posts

વિશ્વામિત્રી નદી શુદ્ધ થાય, અને નદી માં વસતા જળચર પ્રાણીઓ સુરક્ષિત રહે, પર્યાવરણની જાગૃતિ, હેરિટેજ બચાવો, વાઇલ્ડ લાઇફ અને ડોમેસ્ટિક એનિમલ વિશે જાગૃતિ ફેલાય તે સંકલ્પ સાથે વડોદરા થી કેરલમાં આવેલ શબરીમાલા અય્યપા મંદિર સુધી પદયાત્રા

admin

વડોદરા શહેર ખાતે સ્વદેશી અભિયાન અંતર્ગત સ્વદેશી કીટનું વિતરણ કરવામાં આવ્યું

admin

દેવશયની કે દેવપોઢી એકાદશીના પ્રારંભ સાથે ચાતુર્માસનો પ્રારંભ થશે. આ ચાતુર્માસના પ્રારંભે કુમારિકાઓના પાંચ દિવસના મોળા વ્રતનો પ્રારંભ થવાનો છે ત્યારે બજારમાં તૈયાર જવાના બજારમાં જોવા મળ્યા…

admin

Leave a Comment